નીતિવચનો 29
29
1જે માણસ વારંવાર ઠપકો પામ્યા
છતાં પોતાની ગરદન
અક્કડ રાખે છે,
તે અકસ્માત નાશ પામશે,
અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.
2નેકીવાનો અધિકાર પર હોય છે
ત્યારે લોકોને આનંદ થાય છે;
પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે
છે ત્યારે લોક નિસાસા નાખે છે.
3જે કોઈ જ્ઞાન ચાહે છે તે પોતાના પિતાને
આનંદ આપે છે;
પણ જે માણસ વેશ્યાની સંગત કરે છે
તે [પોતાની] સંપત્તિ ઉડાવી દે છે.
4રાજા ન્યાયથી દેશને સ્થિર કરે છે;
પણ લાંચ લેનાર તેને
પાયમાલ કરે છે.
5જે માણસ પોતાના પડોશીની
ખુશામત કરે છે,
તે તેનાં પગલાંને માટે
જાળ પાથરે છે.
6દુષ્ટ માણસના અપરાધમાં ફાંદો છે;
પણ નેક માણસ ગાય છે
અને આનંદ કરે છે.
7નેક માણસ ગરીબના દાવા પર
ધ્યાન આપે છે;
દુષ્ટ માણસ [તે] જાણવાની
દરકાર પણ કરતો નથી
8તિરસ્કાર કરનાર માણસો
નગર સળગાવે છે;
પણ ડાહ્યા માણસો ક્રોધનું
નિવારણ કરે છે.
9જો ડાહ્યો માણસ મૂર્ખ માણસ સાથે
વાદવિવાદમાં ઊતરે,
ગમે તો તે ગુસ્સે થાય કે ગમે તો હસે,
પણ તેને કંઈ નિરાંત વળવાની નથી.
10લોહીના તરસ્યા માણસો
સદાચારીના વૈરી છે;
તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.
11મૂર્ખ માણસ પોતાનો ક્રોધ
બોલી બતાવે છે;
પણ ડાહ્યો માણસ તેને દબાવીને
સમાવી દે છે.
12જો કોઈ હાકેમ જૂઠી વાતો સાંભળે
તો તેના સર્વ સેવકો દુષ્ટ
થઈ જાય છે.
13ગરીબ માણસ તથા જુલમગાર
ભેગા થાય છે;
તે બન્નેની આંખોને
યહોવા પ્રકાશ આપે છે.
14જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો
ન્યાય કરે છે,
તેનું તખ્ત સદાને માટે સ્થિર રહેશે.
15સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે;
પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની
માને બદનામ કરે છે.
16દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે ગુનાઓ
વધી જાય છે;
પણ નેક પુરુષો તેઓની દુર્દશા જોશે.
17તારા દીકરાને શિક્ષા કરશે, તો
તો તને નિરાંત આપશે;
તે તારા મનને આનંદ આપશે.
18જ્યાં સંદર્શન નથી હોતું ત્યાં લોક
સર્વ મર્યાદા છોડી દે છે;
પણ નિયમ પાળનારને ધન્ય છે.
19એકલા શબ્દોથી ચાકરને શિક્ષા
લાગતી નથી;
જો કે તે સમજશે તોપણ
તે ગણકારશે નહિ.
20જો બોલવે ઉતાવળો માણસ
તારા જોવામાં આવે,
તો [તારે જાણવું કે] તેના કરતાં કોઈ
મૂર્ખ વિષે વધારે આશા રાખી શકાય.
21જે માણસ પોતાના ચાકરને બાળપણથી
લાડમાં ઉછેરે છે,
આખરે તે તેનો દીકરો થઈ બેસશે.
22ક્રોધી માણસ કજિયો સળગાવે છે,
અને ગુસ્સાવાળો માણસ
પુષ્કળ ગુના કરે છે.
23માણસનું અભિમાન તેને નીચો
પાડી નાખશે;
પણ નમ્ર મનવાળો માન પામશે.
24ચોરનો ભાગીદાર પોતાના જ
જીવનો વૈરી છે;
તે સોગન ખાય છે,
પણ કંઈ જાહેર કરતો નથી.
25માણસની બીક ફાંદારૂપ છે; પણ
જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે
તે સહીસલામત રહેશે.
26ઘણા માણસો હાકેમની કૃપા શોધે છે;
પણ માણસનો ઇનસાફ
યહોવા પાસે છે.
27અન્યાયી માણસ નેકીવાનને
કંટાળારૂપ છે;
અને નેકીવાન દુષ્ટોને કંટાળારૂપ છે.
હાલમાં પસંદ કરેલ:
નીતિવચનો 29: GUJOVBSI
Highlight
નકલ કરો
Compare
શેર કરો
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.