માર્ક 8

8
ઈસુએ સ્યાર હજાર માણસોને ખવડાવું
(માથ્થી 15:32-39)
1થોડાક દિવસો પછી મોટુ ટોળું ઈસુ પાહે પરમેશ્વરનાં રાજ્ય વિષે હાંભળવા હાટુ ભેગુ થયુ, અને તેઓની પાહે કાય ખાવાનું હતું નય, તો એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, 2“તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, ઈ હાટુ મને તેઓની ઉપર દયા આવે છે. 3જો હું ઈ લોકોને ભૂખા ઘરે મોકલું તો તેઓ મારગમાં થાકીને બેભાન થય જાહે, કેમ કે, તેઓમાંથી કેટલાક લોકો ઘણાય છેટેથી આવ્યા છે.” 4ચેલાઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે આ વગડામાં કોય આટલા બધાયને ધરાવી હકી એટલી પુરતી રોટલી કયાથી લીયાવી હકી?” 5ઈસુએ તેઓને પુછયું કે, “તમારી પાહે કેટલી રોટલી છે?” તો તેઓએ કીધુ કે, “અમારી પાહે હાત રોટલીઓ છે.” 6તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો. અને તેઓ નીસે જમીન ઉપર બેહી ગયા, અને પછી ઈ હાત રોટલી લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગી અને પછી એણે ટુકડાઓ પોતાના ચેલાઓને આપવાનું સાલું કરયુ જેથી તેઓ ઈ લોકોની વસે પીરસી હકે. 7તેઓની પાહે થોડીક નાની માછલીઓ પણ હતી, અને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને ઈ પણ લોકોની હામે મુકવાની આજ્ઞા આપી. 8લોકોએ ખાધુ અને ધરાણા, એની પછી ચેલાઓએ બાકી વધેલા ટુકડા ભેગા કરીને હાત ટોપલીઓ ઉપાડી. 9અને ખાનારા લોકો લગભગ સ્યાર હજાર માણસો હતાં જઈ ઈસુએ તેઓને વળાવા. 10તઈ ઈસુ પોતાના ચેલાઓની હારે હોડીમાં બેહીને દલમાનુથાના પરદેશમા વયો ગયો.
ફરોશી ટોળાના લોકો દ્વારા નિશાનીની માંગણી
(માથ્થી 16:1-4; લૂક 11:29)
11વળી ફરોશી ટોળાના લોકો ઈસુની પાહે આવીને એની હારે વાદવિવાદ કરવા મંડ્યા, અને એને પારખવા હાટુ એની પાહે સ્વર્ગમાંથી એક સમત્કારી નિશાની દેખાડવા હાટુ પુછયું. 12એણે પોતાની અંદર મોટો નિહાકો નાખીને તેઓને કીધું કે, “તમારે એક સમત્કારી નિશાની નો માંગવી જોયી. હું તમને પાકું કવ છું કે, આ પેઢીના લોકોને કાય જ નિશાની નય આપવામાં આવે.” 13પછી ઈસુ લોકોને મુકીને પોતાના ચેલાઓની હારે હોડીમાં બેઠો, અને ગાલીલ દરિયાની સ્યારેય બાજુ થયને તેઓ આગળ ગયા.
ફરોશી ટોળાના લોકોના ખોટા શિક્ષણથી સેતવણી
(માથ્થી 16:5-12)
14ઈસુના ચેલાઓ પોતાની હારે રોટલી લીયાવાનું ભુલી ગયા હતા. તેઓની પાહે હોડીમાં એક જ રોટલી હતી. 15ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.” 16તેઓ એકબીજાની હારે વાતો કરવા લાગ્યા કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.” 17આ જાણીને ઈસુએ તેઓને કીધુ કે, “તમે અંદરો અંદર કેમ વાતો કરો છો કે, આપડી પાહે રોટલી નથી? શું તમે તમારા હ્રદયોને કઠણ બનાવી દીધા છે કે, તમે હજી પણ નથી હમજી હક્તા? 18શું તમારી આખું આધળી અને કાન બેરા છે? અને શું તમને યાદ નથી? 19તમે બસેલા ટુકડાઓની કેટલી ટોપલીઓ ઉપાડી હતી, જઈ મે ઈ પાંસ હજાર માણસોને ખાલી પાંસ રોટલીઓ વડે ખવડાવી હતી?” તેઓએ એને કીધુ કે, “બાર ટોપલીઓ.” 20તઈ એણે તેઓને કીધુ કે, “જઈ સ્યાર હજાર લોકોની હાટુ હાત રોટલીઓ હતી, તો તમે ટુકડાઓની કેટલી ટોપલીઓ ભરીને ઉપાડી હતી?” તેઓએ એને કીધુ કે, “હાત ટોપલીઓ.” 21એણે તેઓને કીધુ કે, “શું તમે હજી હુધી હમજતા નથી, કે હું કોણ છું?”
આંધળાને હાજા કરવો
22તઈ ઈસુ અને એના ચેલાઓ બેથસાઈદા નગરમાં આવ્યા, ને લોકો આંધળાને એની પાહે લીયાવીને એનાથી વિનવણી કરી કે, “આ માણસને અડીને હાજો કરો.” 23આંધળાનો હાથ ઝાલીને ઈસુ એને ગામમાંથી બારે લય ગયો અને એની આંખોની ઉપર ઈસુએ પોતાનુ થૂક લગાડ્યું, અને એના હાથ એની ઉપર રાખ્યા અને એને પુછયું કે, “શું તને કાય દેખાય છે?” 24એણે આખું ઉસી કરીને કીધુ કે, “હું લોકોને જોવ છું, તેઓ મને હાલતા ઝાડવા જેવા દેખાય દેય છે.” 25પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું. 26પછી ઈસુએ એને ઘરે મોકલતા આજ્ઞા આપીને કીધુ કે, “ઘરે વયો જા પણ લોકોને બતાવવા હાટુ ગામમાં જાતો નય કે ન્યાં શું થયુ.”
પિતર દ્વારા ઈસુને મસીહ માનીને અપનાવવો
(માથ્થી 16:13-20; લૂક 9:18-21)
27ઈસુ અને એના ચેલાઓ બેથસેદા નગર છોડીને કાઈસારિયા ફીલીપ્પી પરદેશના નજીકના ગામોમાં ગયા, મારગમાં એણે પોતાના ચેલાઓને પુછયું કે, “લોકો મારી વિષે શું કય રયા છે?” 28ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે પણ બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છે.” 29ઈસુએ તેઓએ પુછયું કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?” પિતરે એનો જવાબ આપ્યો કે, “તુ પરમેશ્વરનો મોકલેલો મસીહ છો.” 30તઈ ઈસુએ ચેલાઓને સેતવણી આપીને કીધુ કે, “મારા વિષે કોયને કાય કેવું નય.”
ઈસુના પોતાના મોત વિષે બતાવવું
(માથ્થી 16:21-23; લૂક 9:22)
31અને ઈસુએ એના ચેલાઓને શિખવાડતા કીધુ કે, હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ. 32ઈસુ આ વાત તેઓથી ઉઘાડી રીતે બોલ્યો એની પછી પિતર એને એક બાજુ લય જયને પીડા અને મારી નાખવાની વાત વિષે ખીજાવા લાગો. 33પણ ઈસુએ વાહે ફરીને પોતાના ચેલાઓની હામે જોયુ અને પછી પિતરને ખીજાયને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”
ચેલા બનવાનો અરથ
(માથ્થી 16:24-28; લૂક 9:23-27)
34એણે ટોળાને પોતાના ચેલાઓ સહીત પાહે બોલાવીને તેઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.” 35કેમ કે, “જો કોય માણસ પોતાનુ જગતનું જીવન બસાવવા માગે છે, ઈ પરમેશ્વરની હારે અનંતજીવન પામવાનો મોકો ગુમાવી નાખે છે. પણ જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ કરવા અને મારા હારા હમાસારની કારણે મરશે ઈ માણસ પરમેશ્વરની હારે અનંતજીવન મેળવશે. 36એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું પોતાનું જીવન ખોય નાખે? 37પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી. 38જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”

നിലവിൽ തിരഞ്ഞെടുത്തിരിക്കുന്നു:

માર્ક 8: KXPNT

ഹൈലൈറ്റ് ചെയ്യുക

പകർത്തുക

താരതമ്യം

പങ്ക് വെക്കു

None

നിങ്ങളുടെ എല്ലാ ഉപകരണങ്ങളിലും ഹൈലൈറ്റുകൾ സംരക്ഷിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ? സൈൻ അപ്പ് ചെയ്യുക അല്ലെങ്കിൽ സൈൻ ഇൻ ചെയ്യുക