YouVersion Logo
Search Icon

1 કરિંથીઓને પત્ર 11

11
ભક્તિસભામાં માથે ઓઢવા વિષે
1તમે લોકો મારૂ અનુસરણ કરો, જેવી રીતે હું મસીહ પરમાણે હાલું છું
2હું તમારી વાહવાહ કરું છું કેમ કે, તમે મને બધીય વાતોમાં યાદ કરતાં રયો છો; અને જે શિક્ષણ મેં તમને આપ્યુ છે, એનું ધ્યાન રાખીને પાલન કરતાં રયો. 3હવે હું તમને આ હમજાવવા ઈચ્છું છું કે, એક વાત જાણી લ્યો કે, દરેક માણસનું માથું મસીહ છે, અને બાયનું માથું માણસ છે, અને મસીહનું માથું પરમેશ્વર છે. 4ઈ હાટુ જો કોય માણસ માથે ઓઢીને પ્રાર્થના કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, ઈ મસીહનું અપમાન કરે છે, જે મંડળીનું માથું છે.
5પણ જે બાય માથે ઓઢા વગર પ્રાર્થના કરે કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, એનો અરથ છે કે, ઈ પોતાના ધણીનું અપમાન કરે છે જે એની હાટુ માથું છે કેમ કે, એની અને એક એવી બાયુની વસે કાય ફરક નથી જેનું માથું શરમાવવા હાટુ થયને ટકો કરાવ્યો છે. 6જો કોય બાય પોતાનું માથું ઢાકે નય, તો એણે પોતાના વાળ હોતેન કાપી નાખવા જોઈએ. પણ જો બાય પોતાનું માથું મુન્ડાવે છે કે વાળ કપાવે છે તો તે શરમજનક બાબત છે; એથી બાયુને પોતાનું માથું ઢાકવું.
7હાં! માણસને પોતાનું માથું ઢાંકવાની કોય જરૂર નથી છે કેમ કે, માણસને પરમેશ્વરનાં રૂપમાં બનાવ્યો છે અને ઈ પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, પણ બાયડી તો ધણીની મહિમા પરગટ કરે છે. 8ઈ હાટુ કે, માણસ બાયથી નથી આવ્યો, પણ બાય માણસથી આવી હતી.
9અને પરમેશ્વર દ્વારા માણસ બનાવો એનું ઈ કારણ નથી કે, બાયની પાહે એક સાથી હોય પણ એણે બાયને બનાવી જેથી માણસ પાહે એક સાથી હોય. 10અને કેમ કે, સ્વર્ગદુતો જોય રયા છે, ઈ હાટુથી, દરેક બાયને માથે ઓઢવું જોયી, એમ દેખાડવા હાટુ કે, ઈ અધિકારીને આધીન છે.
11તો પણ પરભુમાં નય તો બાય વગર માણસના અને નય તો માણસ વગર બાય સ્વતંત્ર છે. 12ભલે પરમેશ્વરે પેલા માણસથી પેલી બાય બનાવી, પણ હવે માણસને જનમ આપનારી બાય જ છે. પણ બધીય વસ્તુઓ પરમેશ્વરે બનાવી છે.
13તમે પોતે જ નક્કી કરો કે, શું જાહેર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બાય માથે ઓઢયા વગર પરમેશ્વરની પ્રાર્થના કરે ઈ હારુ છે? 14ઈ સ્ભાવિક રીતેથી આપણે જાણીએ છયી કે, જો માણસ લાંબા વાળ રાખે, તો એની હાટુ અપમાનનું કારણ છે. 15પણ જો બાય લાંબા વાળ રાખે; તો એની હાટુ શોભા છે કેમ કે, વાળ એને ઢાંકવા હાટુ આપવામાં આવ્યા છે. 16પણ જો કોય વિવાદ કરવા માગે, તો ઈ જાણે કે, નય આપડી વસે અને નય પરમેશ્વરની મંડળીમાં એની સિવાય અમારી પાહે એવો કોય રીવાજ નથી.
પરભુ ભોજન
17હવે પછી જે બાબત વિષે હું કેવા જય રયો છું, હું તમારા વખાણ નથી કરતો કેમ કે, તમારું મંડળીઓમાં ભેગા થાવાથી ભલાય નય, પણ નુકશાન થાય છે. 18કેમ કે, પેલા તો હું ઈ હાંભ્ળુ છું, કે, જઈ તમે મંડળીમાં ભજન કરવા હાટુ ભેગા થાવ છો, તો તમારામાં પક્ષાપક્ષી થાય છે અને મને વિશ્વાસ છે કે, તેઓની થોડી-ઘણી કીધેલી વાતો હાસી છે. 19શું તમને લાગે છે કે, પક્ષ પડવાથી બીજાને ખબર પડી જાહે કે, તમારામાંથી કોયની પાહે પરમેશ્વરની મંજુરી છે? નય. હરાહર નય!
20જઈ તમે એક જગ્યામાં આપડા પરભુ ઈસુ મસીહના મોતને યાદ કરવા ભેગા થાવ છો તો ઈ પરભુ ભોજન નથી જેની પાહે ખાય રયા છો. 21કેમ કે, ખાતી વખતે તમારામાંનો દરેક પોત પોતાનું ખાવાનું ખાય લેય છે; કોય ભૂખો રેય છે, તો કોય છાકટો બને છે, 22શું તમારે ખાવા અને પીવા હાટુ તમારું ઘર નથી? કે શું તમે પરમેશ્વરની વિશ્વાસુ મંડળીને ધિક્કારો છો? કે, જેની પાહે કાય નથી તેઓને શરમાવો છો? હું તમને શું કવ? શું એમા હું તમને વખાણું? એમા હું તમારા વખાણ કરતો નથી.
23કેમ કે, જે મેં પરભુ પાહેથી શિક્ષણ મેળવ્યું હતું ઈ મેં તમને પણ આપી દીધુ, એટલે કે, જે રાતે પરભુ ઈસુને દગાથી પકડાવામાં આવો હતો, 24તઈ એણે રોટલી લીધી અને પરમેશ્વરનો આભાર માનીને તોડી અને કીધુ કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”
25આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે. તમે જેટલીવાર ઈ પીવ છો, એટલીવાર મારી યાદ હાટુ ઈ કરો.” 26કેમ કે, જેટલીવાર તમે આ રોટલી ખાવ છો અને આ પ્યાલામાંથી પીઓ છો એટલીવાર તમે પરભુના આવતાં હુંધી એના મોતને પરગટ કરો છો.
27ઈ હાટુ જે કોય લાયકાત વગર પરભુની રોટલી ખાય, અને આ પ્યાલામાંથી પીવે છે, ઈ પરભુના દેહ અને લોહીની વિરુધ પાપ કરે છે. 28ઈ હાટુ માણસ પેલા પોતાના વ્યવહારને પારખે અને આજ રીતેથી આ રોટલીમાંથી ખાવ, અને આ વાટકાથી દ્રાક્ષારસ પીવે. 29પણ કોય પરભુના દેહની હારે પોતાનો સબંધને ઓળખાયા વગર પ્યાલમાંથી પીવો અને રોટલીને ખાવ. ઈ આ ખાવા અને પીવાથી પોતાની ઉપર સજા લાવે છે.
30આજ કારણ છે કે, તમારામાંથી ઘણાય લોકો માદા છે અને ઘણાય લોકોના નબળા દેહ પણ છે. અને ઘણાય લોકો મરી પણ ગયા છે કેમ કે, ઈ પરમેશ્વરની સજા છે.
31પણ જો આપણે પેલા પોતાના વ્યવહારને પારખીએ છયી, તો પરમેશ્વર આપણને સજા નય આપે. 32પણ જઈ પરભુ આપણને આજ રીતે સજા આપે છે, તો ઈ આપણને સુધારી રયા છે, જેથી ન્યાયના દિવસે આપણને જગતના બીજા લોકોની હારે સજા નય ભોગવી પડે.
33ઈ હાટુ, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે પરભુ ભોજન ખાવા હાટુ ભેગા થાવ છો, એકબીજા હાટુ વાટ જોવ જેથી તમે બધાય ભેગા થયને ખાય હકો. 34જો કોય ભૂખો હોય તો ઈ પોતાના ઘરે ખાય, જેથી તમારુ ભેગા થાવાનું સજાને લાયક નો થાય. હવે જે કાય બીજી બાબતો છે એનો ઉકેલ હું ન્યા આવય તઈ કરય.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in